સોમવાર, 12 નવેમ્બર, 2012

સ્પર્શ

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ ગભરાય છે
એને રૂઝાયેલા જખ્મો યાદ એવી જાય છે
સૈફ પાલનપુરી

ઉપરોક્ત મત્લો 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે છે' કહેવતના ભાવાર્થને રજૂ કરે છે. મન ભૂતકાળમાં મળેલી વેદનાનાં કારણે ફૂલોને સ્પર્શ કરતાં ય ગભરાય છે, ડરે છે કે ક્યાંક નવી વેદના ન મળે. શરીર પર લાગેલા ઘા રૂઝાઈ જાય છે પણ કાળજે લાગેલા ઘા રૂઝાતા નથી.માનવી કાળજે લાગેલા ઘાની માનસિક અસરમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.

કેટલો નજીક છે આ દૂરનો સંબંધ પણ
હું હસું છું એકલો, એકલા એ શરમાય છે

આ શેરમાં જે પ્રકારના પ્રેમનું વર્ણન છે તે આજે 'આઉટ ઓફ ડેટ' ગણાય છે. જોકે એક જમાનામાં પ્રેમની આ સદાબહાર રીત હતી. નજર મળતાં જ હૈયામાં ઉપવન ખીલી જતાં. નજરોથી એકરાર થઈ જતો.બંને પાત્ર અનેકવાર સામસામેથી પસાર થઈ જતા પણ શબ્દોને ટપાલી બનાવી હૈયાનો સંદેશો મોકલવાની હીંમત થતી નહીં. શારીરિક રીતે દૂર પણ 'પ્રેમિક' રીતે નજીક એવા પ્રેમીજનોની વાત ઉપરોક્ત શેરમાં વણાઈ છે.

જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ના દિવસે છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

વિરહની રાત


આ વિરહની રાત છે તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે
સૈફ પાલનપુરી

તારીખનું પાનુ બદલાવું એટલે ચોવીસ કલાક થવા. જેણે પ્રીત કરી છે, વિરહની પાનખર ભોગવી છે એને ખબર હોય છે કે તારીખના એક પાનામાં કેટલા યુગ સમાયેલા હોય છે. બલ્કે એક એક ક્ષણમાં હજાર હજાર યુગ હોય છે. એક એક યુગ કેવી રીતે અને કેટલો આકરો વીતે છે એ હકીકત વિરહની વેદના ભોગવનાર જ જાણે છે. કવિ સૈફ પાલનપુરીએ વિરહકાળને ર
ાત સાથે સરખાવ્યો છે. રાત કાળી અંધારી હોય છે. દુખી માનવી માટે રાત પસાર કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે માનવી રાત્રે દિવસની જેમ વ્યસ્ત નથી હોતો. દિલ પર પડેલા ઘા એને ઊંઘવા નથી દેતા અને અંધારી રાત જાગવા નથી દેતી.

એક પ્રણાલિકા નભાવું છું લખું છું 'સૈફ' હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે

આ શેરમાં કવિએ વાસ્તવિક જીવન અને કાવ્યમાં દર્શાવાતા જીવન વચ્ચે ભેદ હોય છે એની વાત કરી છે. કાવ્યમાં જે આદર્શ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને વ્યવસ્થાનું ચિત્રણ હોય છે તે વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી.

દૈનિક જયહિન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં તા.૧૧।૧૨।૨૦૧૧ ના રોજ છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

આત્મ ચેતના

જેને વૈભવ મળે અંદરથી;
બહારથી એ ફકીર લાગે છે
ગૌરાંગ ડી. ઠાકર
 
જેની આત્મચેતના જાગૃત થઈ જાય છે એને બાહ્ય વૈભવ અર્થહીન લાગે છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે આત્મ ચેતના, અંદરનો વૈભવ છે શુઁ?

આત્મ ચેતના વિશે ઘણા મત મતાંતર છે.મારા મતે જગતની ક્ષણભંગુરતાનો અનુભવ થયા પછી પણ જે કાર્ય કરવાના છે. તે કરવાના પ્રયત્નો કરવા એ જ આત્મ ચેતના છે. એક મત એવો છે જે વિચારે છે. જો બધું એક દિવસ નષ્ટ થવાનું છે તો શું કા

મ બધી લમણાઝીંક કરવી? કોના માટે કરવી? ઠીક છે બધું નષ્ટ થવાનું છે પણ નષ્ટ થાય ત્યાં સુધી તો રહેવાનુ છે. મને ખબર છે મારે એક દિવસ મરવાનું છે તેથી હું શ્વાસ લેવાનું ન છોડી શકું. છોડી શકું? ના, નહીંતર કાલે મરતો આજે મરીશ.

ટૂંકમાં નશ્વર જગતની ક્ષણભંગુરતાને અનુભવવા જાણવા સમજવા છતાં કાર્ય કરવાની ભાવના રાખવી; મારા મતે એ જ સાચી આત્મ ચેતના છે

૨૫।૧૨।૨૦૧૧ ના દિવસે દૈનિક જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં' છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

સ્મૃતિઓ

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે
પોપચામાં એક વીતેલો સમય પલળ્યા કરે
યોસેફ મેકવાન
કેટલીક યાદો હંમેશા માનવીની આંખોને ભીની કરે છે. કવિ યોસેફ મેકવાને સ્મૃતિઓને
પંખી સાથે સરખાવી છે. વિશાળ આકાશમાં નાનકડું પંખી એમ વિશાળ જીવનમાં નાનકડી યાદ. યાદને વાગોળવી એટલે પંખીનું ટહુકવું. યાદ આવે પછી આંખ ભીની થાય એ વાતને કવિએ વીતેલો સમય પલળ્યા કરે શબ્દો દ્વારા ખૂબ કલાત્મક રીતે રજૂ કરી છે
યાદો માનવ જીવનનું મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ છે. તે માનવને હસાવે છે, રડાવે છે, ઉન્માદી બનાવે છે તો શાંત પણ કરે છે. જરા વિચારો જોઈયે યાદો વિનાનું જીવન કેવું હોત? માનવીને ભૂતકાળ યાદ ન રહેતો હોત તો?

નડતર

બીજાના માટે હું કદી નડતરનહીં બનું
આવે જે ઠોકરોમાં એ પત્થર નહીં બનું
મઝહર ફારુકી

શાયરે ગા-ગાલગાલ-ગાલલગા-ગાલગાલ-ગા
માત્રા બંધારણમાં ઘણો જ ઉચ્ચ વિચાર એકદમ સરળ શબ્દોમાં રજૂ કર્યો છે. માણસે જીવનમાં કોઈને નડવું નહીં. જીવનમાં એવા કાર્યો કદી ય ન કરવા જેથી કોઈને તકલીફ થાય.જે વ્યક્તિ અન્યને નડે છે એનો અંજામ શું થાય છે, એ પણ શાયરે સંકેતમાં જણાવી દીધું છે. "આવે જે ઠોકરોમાં..."પંક્તિ દ્વારા શાયર જણાવે છ

ે કે વ્યક્તિ અન્યોને નડે છે.
કોઈ એની કદર કરતુ નથી.

અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે
રોળી કોઈનાં રત્ન હું ગવહર નહીં બનું

શાયર કહે છે મારા આંસુ ભલે માટીમાં મળે મને પરવા નથી.

મારા શમણાં રોળાઇ જાય એ મને મંજૂર છે; પણ
અન્યના શમણાને રોળી કે અન્યની બરબાદી પર હું
સફળતાના મહેલ નહીં ચણું. મને ભલે સફળતા ન મળે પણ અન્યોની નિષ્ફળતાનું કારણ નહીં બનું.

નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું
ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું

આ શેરમાં પણ સુંદર વિચાર રજૂ થયો છે.મીઠા પાણીનું સરોવર ભલે સાગર જેટલું વિશાળ ન હોય પણ એ લાખો જીવોની તરસ છીપાવે છે, જ્યારે સાગર? વિશાળ હોવા છતાં કોઈની તરસને સંતોષતો નથી. વ્યક્તિ મોટો બને એ મહત્વપૂર્ણ નથી પણ કેટલાને ઉપયોગી થાય છે એ મહત્વપૂર્ણ છે. કેટલા જીવનને સુખદાયક બનાવે છે; આનંદદાયક બનાવે છે; કેટલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: એ મહત્વપૂર્ણ છે.
 
અભણ અમદાવાદી
તા.4/7/2010 ના દિવસે જયહિંદ દૈનિકમાં મારી કોલમ
"અર્જ કરતે હૈ" માં છપાયેલા લેખ નો અંશ

તરસ

તરસનું રણ તમારે કંઠ ફેલ્યાનું કહ્યું લૂ એ;
અમે ખોબા મહીં પીધા વગરની વાવ લઈને દોડ્યા.
કરશનદાસ લુહાર

કવિતાઓમાં રણનું પ્રતિક અભાવ, ફળદ્રુપ ન હોવાના ભાવને વ્યક્ત કરવા વપરાય છે. રણમાં ચાલતી ગરમ હવાઓને લૂ કહેવાય છે જે મોતનું કારણ બને છે. અહીં એ જ ગરમ હવાઓએ કોઈને બચાવવા માટે પ્રયાસ કર્યો છે. પ્રથમ પંક્તિ કહે છે "હવાઓ એવી ખબર લાવી છે જે રણ જેવી છે" રણની તરસ કેવી હોય? કદી ન સંતોષાય એવી. રણની તરસને સંત

ોષે એટલો વરસાદ ત્યાં પડતો નથી. બલ્કે વરસાદનો અભાવ જ રણનું સર્જન કરે છે.
જેને સમાચાર મળ્યા છે એ વ્યક્તિ પીધા વગરની વાવ ખોબામાં લઈ દોડે છે. ખોબો એટલે તો સમજ્યા કે ઓછી સગવડ ટાંચી વ્યવસ્થા પણ પીધા વગરની વાવ એટલે શું?
આ શબ્દ દ્વારા કવિ કદાચ એવા સાધન તરફ સંકેત કરવા માંગે છે જેનો કદી ઊપયોગ નથી થયો.

અભણ અમદાવાદી
દૈનિક જયહિન્દ માં ૬।૧૧।૨૦૧૧ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલા લેખનો અંશ