સોમવાર, 7 મે, 2012

પ્રશંસા

જરૂરી છે દીવાનાઓ પ્રશંસા રૂપની કરવા
સલામો ચાંદને ભરવા સિતારાઓ જરૂરી છે
કિસ્મત કુરૈશી

હિન્દી ફિલ્મી ગીત ઘૂંધટ કી આડ સે માં શબ્દો છે 'જબ તક ન પડે આશિક કી નજર સિંગાર અધૂરા રહતા હૈ'. રૂપ શણગાર કોના માટે શા માટે કરે છે? પ્રશંસા માટે. દીવાના ન હોત તો સૌંદર્યને પ્રતિભાવ કોણ આપત? ગગનમાં તારલા હોવાથી ચાંદો વધારે સુંદર લાગે છે. તારલા વિના એની સુંદરતા ઝાંખી પડી જાત, ફીકી થઈ જાત. દરબારમાં રાજા એકલો શોભે? ના. દરબારીઓ વિના રાજા અને દરબાર બંને ય ના શોભે. દીવાનાઓના કારણે રૂપની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

તા.૧૫।૦૪।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલો આસ્વાદ લેખ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો