સોમવાર, 12 નવેમ્બર, 2012

તડપ બઢાઈ ગઈ

યહ જમીં જિસ કદર સજાઈ ગઈ
જિન્દગી કી તડપ બઢાઈ ગઈ
સાહિર લુધિયાનવી

સાહિરને બાગી શાયર કહેવાય છે. એમણે લખેલા ગીતો ગઝલો નજમો યાદગાર છે. ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાજાર દીયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ; આ રચનાઓ સાહિરના મિજાજનો ખ્યાલ આપે છે. ઊપરોક્ત શેરમાં પણ એમણે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.
આજ સુધી માનવે જે વિકાસ કર્યો છે એણે જીવનમાં મુશ્કેલીઓ વધારી છે. વિકાસના નામે માનવી ભૌતિક સગવડ
ો વધારી રહ્યો છે. ભૌતિક સગવડોના વધારાને વિકાસ સમજી રહ્યો છે. ઘરમાં ફ્રીજ, એસીનું આવવું પ્રગતિ ગણાય છે. વાસ્તવિકતાએ છે કે ભૌતિક સાધનો સમસ્યાઓના જનક છે. દસ માનવી જેટલું કાર્ય એક યંત્ર કરી દે તો નવ વ્યક્તિ તો બેકાર જ થયાને? આજની સૌથી મોટી સમસ્યા બેકારીના પાયામાં યાંત્રિક સાધનો થયા કે નહીં? તમારી આજુબાજુ આવા અસંખ્ય ઊદાહરણો મળી જશે. જે 'વિકાસ'ના દુષ્પરિણામો છે. બાળકોમાં ચરબીના વધેલા થર જોવા મળે છે? ચશ્માવાળા વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે? માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે. ડિપ્રેશનનાં, આત્મહત્યાનાં (હવે તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરે છે) કિસ્સા વધી રહ્યાં છે. કેમ? કારણ કે વિકાસે સરળતા અને સાદગીને દેશવટો આપી દીધો છે. સંઘર્ષ વધી ગયો છે.

તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો