શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

ઘુંઘરું


એ થનગનતા હૈયાને દિવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરું છે
શૂન્ય પાલનપુરી

જે વ્યકિતએ ઈતિહાસ લખવો હોય. એને કોઈ દિવાલ કોઈ વિઘ્ન રોકી શકતા નથી. ઈતિહાસમાં નવા પાના ઉમેરવાની તમન્ના રાખનાર વ્યક્તિ અવરોધોને પણ સહાયક તત્વ ગણે છે. આ વિચારને શૂન્ય સાહેબે પગે શ્રૃંખલા જેને મન ઘુંઘરુ છે એ તર્ક દ્વારા રજુ કર્યો છે. જે વ્યકિતને પગમાં પડેલી બેડીઓ પણ ઘુંઘરુ લાગે. એના જોશને, થનગનાટને રોકવાનું ગજુ કોઈ દિવાલમાં હોતુ નથી.

અહીં ઘુંઘરુ અને શ્રૃંખલા શબ્દ ખૂબ સૂચક છે. બંને શબ્દ બે અલગ અલગ સત્યને રજુ કરે છે. બંને પગમાં બંધાય છે. પણ શ્રૃંખલા બંધન, ગુલામીની પ્રતિક છે જ્યારે ઘુંઘરુ કલાના પ્રતિક છે.

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક જયહિન્દમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

કર્તવ્ય કેડી

સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય કેડી
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે
શૂન્ય પાલનપુરી

કર્તવ્ય પથ પર ચાલવું સરળ નથી. તે પથ પર ગુલાબ (પ્રશંસા) ઓછા અને ગોખરૂ (ટીકા, બદનામી) વધારે મળે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી આ વાત બહુ સરળતાથી સમજાઈ જાય છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સોક્રેટીસ, ચંદ્રગુપ્ત મૌર્ય, સિકંદર, સુભાષચંદ્ર બોઝ જેવા મહામાનવોના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર પડે છે. તેઓ કેવા કાંટાળા પથ પર ચાલ્યા હતા. કેવા કેવા પડકારોનો સામનો કર્યો હતો. બાદશાહ અકબરને જીવનના બારમા વર્ષે ફૂંકી મારવા માટે તોપના મોઢે બાંધવામાં આવ્યો હતો. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે ઓછા માછલા ધોવાય છે?

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી  

ભારત કે લોગ