બુધવાર, 19 ડિસેમ્બર, 2012

મુંઝારો

 આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
મરીઝ

ઘણી વાર વાત હોઠે આવીને અટકી જાય છે. મન મુંઝાઈ જાય છે. કહું? કે ના કહું? વ્યક્ત થાઉ કે ના થાઉં? મારી વાતનો, મુદ્દાનો, વિષયનો, પ્રણય પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો? વ્યક્તિ અસ્વીકૃતિથી ડરે છે. મરીઝે અસ્વીકૃતિના ડરને બીજી પંક્તિમાં બંધ દ્વાર શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હોય એવું લાગે છે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ'
ચુકવું બધાનં દેણ જો અલ્લાહ ઉધાર દે

જેના પર પ્રભુની મહેર થાય છે. તે કોઈનો કરજદાર નથી રહેતો. પ્રભુની મહેર ન હોય તો માનવી ગમે તેનો કરજદાર થઈ શકે છે.

તા.22।4।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

કચ્ચે લોગ

આઈને સે બિગડ બૈઠે
જિન કી સૂરત જિન્હેં દિખાઈ ગઈ
સાહિર લુધિયાનવી

વ્યક્તિ સત્યનો સામનો નથી કરી શકતો. લોકો સત્યથી રૂબરૂ કરાવનાર વ્યક્તિથી જ રિસાઈ જાય છે.

આ હકીકતને પત્રકારો, લેખકો, કવિઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આ લોકો સમાજમાં વ્યાપ્ત ષડયંત્રો, કૌભાંડો, ગેરવ્યવસ્થાને ખુલ્લા પાડે છે. ત્યારે એમાં સંડોવાયેલા લોકો આમનાથી રિસાઈ જાય છે. ક્યારેક એવું ય બને છે. સંડોવાયેલાઓ આઈનાને તોડી પણ નાંખે છે.

તા.૧૧।૦૩।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિંન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

હાજરી

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે
મરીઝ

સંબંધો સતત હાજરી, કર્મઠતા, મેળ-મુલાકાતો જેવા વિવિધ કારણોસર સચવાય છે. માણસ ત્યાં જવું પસંદ કરે છે જ્યાં ઉષ્માભર્યો આવકાર મળે. આવકાર ન મળે ત્યાં જવું કોઈને પસંદ પડતું નથી. આ વાતનો ટેકો લઈ શાયરે પીઠામાં જવાની વાતને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સ્થળોએ કોઈ હોય છે જે આવકારે? જ્યારે પીઠામાં આવકારનારા તો ઘણા મળી જા
ય છે. પ્રાર્થના સ્થળો પ્રભુના ધામ હોય છે માટે સૌના હોય છે. સૌના હોય છે. તે સરવાળે કોઈના નથી હોતા.

પીઠામાં માણસ વિશિષ્ટ માનસિક અવસ્થાએ પહોંચી જાય છે. મન ખોલી દે છે. સુખ દુ:ખ વ્યથા કથા ગમો અણગમો લડાઈ ઝઘડા તમામ લાગણીઓની ખુલ્લા દિલે આપ લે કરે છે. પ્રાર્થના સ્થળે માણસ ફક્ત યાચક બનીને જાય છે.

તા.22।04।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

ઢોંગ

અદાવત દિલમેં રખતે હૈં મગર યારી દિખાતે હૈં
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'

હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.

અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે

તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

કાગળનો બગીચો

ઊલઝના હૈ હમેં બંજર જમીનોં સે હકીકત સે
ઉન્હેં ક્યા, વો તો બસ કાગઝ પે ફૂલવારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખેર 'અકેલા'

આ શેરમાં નેતાઓ તરફ સીધો સંકેત નથી. જો કે મને આ શેર નેતાઓના ચુંટણી વચનો વિષયક લાગે છે.

ચુંટણી વેળા નેતાઓ પાર વગરના વચનો આપે છે. નાણાકીય વાસ્તવિકતાને જાણ્યા સમજ્યા વગર વચનો ઝીંકે રાખે છે. વચનો આપવામાં શું જાય છે? તકલીફ તે અધિકારી વર્ગને પડે છે. જેણે વચનોને સાકાર કરવા માટે ઝઝૂમવું પડે છે. ખજાનો ખાલી છે આ હકીકત જાણતો હોવા છતાં અધિકારી વર્ગે નેતાઓના વચનો માટે લોહી પરસેવો એક કરવો પડે છે. ખાલી ખજાનો એટલે જાણે કે બિન ફળદ્રુપ જમીન. એ જમીન પર અધિકારી વર્ગે ખેતી કરવાની હોય છે.

તા.13।05।2012ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ અભણ અમદાવાદી

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

કાચા માણસો


સાર્થક જીવન


સાર્થક જીવન
આજ નહીં તો કલ દે
પેડ વહી જો ફલ દે
અશ્વિનીકુમાર પાંડે

અશ્વિનીકુમાર પાંડેના દોહા, ગઝલો ઉચ્ચ કક્ષાના હોય છે. એમની રચનાઓમાં સામાજીક સંદેશ હોય છે. પ્રસ્તુત મત્લામાં કવિએ શાશ્વત સત્યની રજુઆત કરી છે.જે વૃક્ષ ફળ આપે તે ઉપયોગી છે.અહીં ફળ શબ્દના અર્થને વિસ્તૃત કરીને સમજીએ ત્યારે શેર વધારે અર્થપૂર્ણ જણાય છે. વૃક્ષ પર પાકે એ તો ફળ હોય જ છે પણ વૃક્ષનો છાંયડો પણ એક પ્રકારનું ફળ છે.

માનવીએ સમાજ,શહેર,રાષ્ટ્રને ઉપયોગી થાય તેવું જીવન જીવવું જોઈએ.વૃક્ષની જેમ સમાજને કંઈક આપીએ તો જીવન સાર્થક થયું ગણાય.નહીંતર એક જુના દોહા જેવું જીવન જીવ્યું ગણાય.

બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજુર
પથિક કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર

તા।૯।૧૨।૨૦૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી