શનિવાર, 5 મે, 2012

કિનારો

સરિતાને સમંદરને કિનારાઓ જરૂરી છે
જિગરને જિન્દગાનીને સહારાઓ જરૂરી છે
કિસ્મત કુરૈશી

કિનારો એટલે પાળ,બૉર્ડર,સીમા. નદીઓ કે સાગરને કિનારા ન હોત તો? જળસ્થળ બધું એક થઈ જાત. લગાગાગાના ચાર આવર્તનમાં લખાયેલો શેર ઉપરોક્ત ભાવાર્થ ધરાવે છે. સ્વભાવ,વાત,વિચાર,મુદ્દો દરેકને એક પાળ એક છેડો હોવો જરૂરી છે. પાળ સહારાનું કાર્ય તો કરે જ છે. સુંદરતા વધારવાનું કાર્ય પણ કરે છે. કિનારો જળ અને સ્થળને એક થતા રોકે છે.

જીવનમાં પણ સહારા જરૂરી છે. ક્રોધને ધીરજનો,લાલચને સંતોષનો,વિદ્યાને વિવેકનો,શાંતિને આક્રમકતાનો,આક્રમકતાને શાણપણનો કિનારો-સહારો હોવો જ જોઈએ. નહીંતર ક્રોધ અને લાલચ વ્યક્તિ અને સમાજને હાનિ પહોંચાડે જ છે.શાંતિ પાસે થોડી આક્રમકતા જરૂરી છે. નહીંતર અન્યો એને કાયર માની લે છે. આક્રમકતા પાસે શાણપણ ન હોય તો તે ફક્ત હિંસા બની જાય છે.વેદનાને સમજદારીનો કિનારો ન મળે તો તે જીવ લઈ લે છે.

કિનારાના કારણે સૌંદર્ય અને સાચવણીમાં ય વધારો થાય છે. સાડીને ફૉલ લગાડવાથી સૌંદર્ય અને સાચવણી બંને વધે છે. ફોટોગ્રાફને ફ્રેમમાં મઢવાથી સાચવણી અને સૌંદર્ય વધે છે.

તા.૧૫।૦૪।૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલો લેખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો