શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

ઘુંઘરું


એ થનગનતા હૈયાને દિવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરું છે
શૂન્ય પાલનપુરી

જે વ્યકિતએ ઈતિહાસ લખવો હોય. એને કોઈ દિવાલ કોઈ વિઘ્ન રોકી શકતા નથી. ઈતિહાસમાં નવા પાના ઉમેરવાની તમન્ના રાખનાર વ્યક્તિ અવરોધોને પણ સહાયક તત્વ ગણે છે. આ વિચારને શૂન્ય સાહેબે પગે શ્રૃંખલા જેને મન ઘુંઘરુ છે એ તર્ક દ્વારા રજુ કર્યો છે. જે વ્યકિતને પગમાં પડેલી બેડીઓ પણ ઘુંઘરુ લાગે. એના જોશને, થનગનાટને રોકવાનું ગજુ કોઈ દિવાલમાં હોતુ નથી.

અહીં ઘુંઘરુ અને શ્રૃંખલા શબ્દ ખૂબ સૂચક છે. બંને શબ્દ બે અલગ અલગ સત્યને રજુ કરે છે. બંને પગમાં બંધાય છે. પણ શ્રૃંખલા બંધન, ગુલામીની પ્રતિક છે જ્યારે ઘુંઘરુ કલાના પ્રતિક છે.

તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક જયહિન્દમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો