સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય કેડી
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે
શૂન્ય પાલનપુરી
કર્તવ્ય પથ પર ચાલવું સરળ નથી. તે પથ પર ગુલાબ (પ્રશંસા) ઓછા અને ગોખરૂ
(ટીકા, બદનામી) વધારે મળે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી આ વાત
બહુ સરળતાથી સમજાઈ જાય છે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સોક્રેટીસ, ચંદ્રગુપ્ત મૌર્ય,
સિકંદર, સુભાષચંદ્ર બોઝ જેવા મહામાનવોના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર
પડે છે. તેઓ કેવા કાંટાળા પથ પર ચાલ્યા હતા. કેવા કેવા પડકારોનો સામનો
કર્યો હતો. બાદશાહ અકબરને જીવનના બારમા વર્ષે ફૂંકી મારવા માટે તોપના મોઢે
બાંધવામાં આવ્યો હતો. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. હાલ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે ઓછા માછલા ધોવાય છે?
તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો