ગુરુવાર, 19 એપ્રિલ, 2012

વિદ્વાન સ્વપ્ન

સ્વપ્ન મારું વાત નિરાળી કરે
એ તો વિદ્વાનોથી પણ વિદ્વાન છે
સંધ્યા ભટ્ટ

સ્વપ્ન માવનમનનું દર્પણ છે. મનોવિજ્ઞાનીઓ સદા કહે છે. તમને કયા સ્વપ્નો આવે છે. એની નોંધ રાખો. સ્વપ્નો માનવીને અલૌકિક દિવ્ય શક્તિ સાથે જોડે છે. સ્વપ્ન અગમના એંધાણ આપે છે.

સામાન્ય સમજ મુજબ વિદ્વાન એટલે જ્ઞાનવાન, પંડિત, જ્ઞાની. નિરાળી એટલે નોખી, જુદી, ન્યારી. હું એને પણ વિદ્વાન માનું છું જે આવતી કાલે ઘટનારી ઘટનાને આજે જોઈ શકે છે જાણી શકે છે. આ મામલે સ્વપ્નને કોઈ ન પહોંચી શકે. લગભગ ૧૮૯૮ના વરસમાં એક લેખકને સ્વપ્ન આવેલું. જેમાં એણે એક સ્ટીમરને ડૂબતી જોઈ. સ્વપ્નમાં એને પૂરું નામ નહોતું દેખાયું પણ Titan શબ્દો દેખાયા. લેખકે સ્વપ્નમાં દેખાયેલા ઘટનાક્રમ પર આધારિત નવલકથા લખી. વર્ષો પછી એ સ્વપ્નનાં(નવલકથાનાં પણ) દ્રશ્યો ટાઈટેનિક દુર્ઘટના રુપે સાકાર થયા. કવિયત્રીએ કદાચ એટલે જ સ્વપ્નને વિદ્વાનોથી વિદ્વાન કહ્યાં છે. ઘણીવાર ભવિષ્ય ને વિદ્વાન નથી જાણી શકતા, નથી જોઈ શકતા. સ્વપ્ન જાણી લે છે, જોઈ લે છે.

તા.8।4।12ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો