સોમવાર, 23 એપ્રિલ, 2012

સંઘર્ષ

ઈસ નદી કી ધાર સે ઠંડી હવા આતી તો હૈ
નાવ જર્જર હી સહી લહરોં સે ટકરાતી તો હૈ
દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર હિન્દી સાહિત્યક્ષેત્રને મળેલી અદ્ભુત વિલક્ષણ પ્રતિભા છે.

આ ગઝલના મત્લામાં ટાંચા, અધૂરા કે નુકશાન પામેલા સાધનો દ્વારા કરાતા જીવન સંઘર્ષની વાત છે. નદી અને ઠંડી હવા જીવનના પ્રતિકો છે. કવિ કહે છે નદીના પ્રવાહને સ્પર્શ કરીને આવતી હવા ઠંડી છે. ઠંડી હવા જીવનને તાજગી આપે છે. સવારે મોર્નિંગવૉક માટે જનારા ઠંડી હવાની તાજગી ફેફસાંમાં ભરવા માટે જાય છે ને. બીજી પંક્તિમાં કવિએ જીર્ણશીર્ણ હોડી દ્વારા અધૂરા ટાંચા સાધનો તરફ ઈશારો કર્યો છે. લહેરોસે ટકરાતી હૈ નો અર્થ સ્પષ્ટ છે. સાધનો ભલે ટાંચા છે ક્ષતિગ્રસ્ત છે. નદીના પ્રવાહથી બાથ ભીડી રહ્યાં છે.
સંઘર્ષ ચાલુ છે. જેણે સંઘર્ષ કરવો હોય એને સાધનોની ઊણપ નડતી નથી. સંઘર્ષકાળમાં વિખ્યાત ક્રિકેટર ગેરી સોબર્સ પાસે પૂરતા સાધનો ન હતા પણ બુલંદીએ પહોંચ્યા.

તા.૧૨।૨।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખ એકાદ ફેરફાર સાથે
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો