ગુરુવાર, 8 નવેમ્બર, 2012

તરસ

તરસનું રણ તમારે કંઠ ફેલ્યાનું કહ્યું લૂ એ;
અમે ખોબા મહીં પીધા વગરની વાવ લઈને દોડ્યા.
કરશનદાસ લુહાર

કવિતાઓમાં રણનું પ્રતિક અભાવ, ફળદ્રુપ ન હોવાના ભાવને વ્યક્ત કરવા વપરાય છે. રણમાં ચાલતી ગરમ હવાઓને લૂ કહેવાય છે જે મોતનું કારણ બને છે. અહીં એ જ ગરમ હવાઓએ કોઈને બચાવવા માટે પ્રયાસ કર્યો છે. પ્રથમ પંક્તિ કહે છે "હવાઓ એવી ખબર લાવી છે જે રણ જેવી છે" રણની તરસ કેવી હોય? કદી ન સંતોષાય એવી. રણની તરસને સંત

ોષે એટલો વરસાદ ત્યાં પડતો નથી. બલ્કે વરસાદનો અભાવ જ રણનું સર્જન કરે છે.
જેને સમાચાર મળ્યા છે એ વ્યક્તિ પીધા વગરની વાવ ખોબામાં લઈ દોડે છે. ખોબો એટલે તો સમજ્યા કે ઓછી સગવડ ટાંચી વ્યવસ્થા પણ પીધા વગરની વાવ એટલે શું?
આ શબ્દ દ્વારા કવિ કદાચ એવા સાધન તરફ સંકેત કરવા માંગે છે જેનો કદી ઊપયોગ નથી થયો.

અભણ અમદાવાદી
દૈનિક જયહિન્દ માં ૬।૧૧।૨૦૧૧ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલા લેખનો અંશ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો