ગુરુવાર, 8 નવેમ્બર, 2012

નડતર

બીજાના માટે હું કદી નડતરનહીં બનું
આવે જે ઠોકરોમાં એ પત્થર નહીં બનું
મઝહર ફારુકી

શાયરે ગા-ગાલગાલ-ગાલલગા-ગાલગાલ-ગા
માત્રા બંધારણમાં ઘણો જ ઉચ્ચ વિચાર એકદમ સરળ શબ્દોમાં રજૂ કર્યો છે. માણસે જીવનમાં કોઈને નડવું નહીં. જીવનમાં એવા કાર્યો કદી ય ન કરવા જેથી કોઈને તકલીફ થાય.જે વ્યક્તિ અન્યને નડે છે એનો અંજામ શું થાય છે, એ પણ શાયરે સંકેતમાં જણાવી દીધું છે. "આવે જે ઠોકરોમાં..."પંક્તિ દ્વારા શાયર જણાવે છ

ે કે વ્યક્તિ અન્યોને નડે છે.
કોઈ એની કદર કરતુ નથી.

અશ્રુ બનીને માટીમાં મળવું કબૂલ છે
રોળી કોઈનાં રત્ન હું ગવહર નહીં બનું

શાયર કહે છે મારા આંસુ ભલે માટીમાં મળે મને પરવા નથી.

મારા શમણાં રોળાઇ જાય એ મને મંજૂર છે; પણ
અન્યના શમણાને રોળી કે અન્યની બરબાદી પર હું
સફળતાના મહેલ નહીં ચણું. મને ભલે સફળતા ન મળે પણ અન્યોની નિષ્ફળતાનું કારણ નહીં બનું.

નાનું પરંતુ મીઠું સરોવર બનીશ હું
ઠારી શકે ન પ્યાસ એ સાગર નહીં બનું

આ શેરમાં પણ સુંદર વિચાર રજૂ થયો છે.મીઠા પાણીનું સરોવર ભલે સાગર જેટલું વિશાળ ન હોય પણ એ લાખો જીવોની તરસ છીપાવે છે, જ્યારે સાગર? વિશાળ હોવા છતાં કોઈની તરસને સંતોષતો નથી. વ્યક્તિ મોટો બને એ મહત્વપૂર્ણ નથી પણ કેટલાને ઉપયોગી થાય છે એ મહત્વપૂર્ણ છે. કેટલા જીવનને સુખદાયક બનાવે છે; આનંદદાયક બનાવે છે; કેટલાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: એ મહત્વપૂર્ણ છે.
 
અભણ અમદાવાદી
તા.4/7/2010 ના દિવસે જયહિંદ દૈનિકમાં મારી કોલમ
"અર્જ કરતે હૈ" માં છપાયેલા લેખ નો અંશ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો