ગુરુવાર, 8 નવેમ્બર, 2012

સ્મૃતિઓ

એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે
પોપચામાં એક વીતેલો સમય પલળ્યા કરે
યોસેફ મેકવાન
કેટલીક યાદો હંમેશા માનવીની આંખોને ભીની કરે છે. કવિ યોસેફ મેકવાને સ્મૃતિઓને
પંખી સાથે સરખાવી છે. વિશાળ આકાશમાં નાનકડું પંખી એમ વિશાળ જીવનમાં નાનકડી યાદ. યાદને વાગોળવી એટલે પંખીનું ટહુકવું. યાદ આવે પછી આંખ ભીની થાય એ વાતને કવિએ વીતેલો સમય પલળ્યા કરે શબ્દો દ્વારા ખૂબ કલાત્મક રીતે રજૂ કરી છે
યાદો માનવ જીવનનું મહત્વપૂર્ણ અને અભિન્ન અંગ છે. તે માનવને હસાવે છે, રડાવે છે, ઉન્માદી બનાવે છે તો શાંત પણ કરે છે. જરા વિચારો જોઈયે યાદો વિનાનું જીવન કેવું હોત? માનવીને ભૂતકાળ યાદ ન રહેતો હોત તો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો