સોમવાર, 12 નવેમ્બર, 2012

આત્મ ચેતના

જેને વૈભવ મળે અંદરથી;
બહારથી એ ફકીર લાગે છે
ગૌરાંગ ડી. ઠાકર
 
જેની આત્મચેતના જાગૃત થઈ જાય છે એને બાહ્ય વૈભવ અર્થહીન લાગે છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે આત્મ ચેતના, અંદરનો વૈભવ છે શુઁ?

આત્મ ચેતના વિશે ઘણા મત મતાંતર છે.મારા મતે જગતની ક્ષણભંગુરતાનો અનુભવ થયા પછી પણ જે કાર્ય કરવાના છે. તે કરવાના પ્રયત્નો કરવા એ જ આત્મ ચેતના છે. એક મત એવો છે જે વિચારે છે. જો બધું એક દિવસ નષ્ટ થવાનું છે તો શું કા

મ બધી લમણાઝીંક કરવી? કોના માટે કરવી? ઠીક છે બધું નષ્ટ થવાનું છે પણ નષ્ટ થાય ત્યાં સુધી તો રહેવાનુ છે. મને ખબર છે મારે એક દિવસ મરવાનું છે તેથી હું શ્વાસ લેવાનું ન છોડી શકું. છોડી શકું? ના, નહીંતર કાલે મરતો આજે મરીશ.

ટૂંકમાં નશ્વર જગતની ક્ષણભંગુરતાને અનુભવવા જાણવા સમજવા છતાં કાર્ય કરવાની ભાવના રાખવી; મારા મતે એ જ સાચી આત્મ ચેતના છે

૨૫।૧૨।૨૦૧૧ ના દિવસે દૈનિક જયહિંન્દમાં મારી કોલમ 'અર્જ કરતે હૈં' છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો