સોમવાર, 12 નવેમ્બર, 2012

ધીરજ

માર્ગ રચનારા બધાની ખંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
  
મને આ શેરનો પ્રથમ મિસરો બહુ ગમ્યો છે.મિસરામાં એવી વ્યક્તિઓ વિશે વાત કરાઈ છે જેમના વિશે લોકો વિચારતા નથી.તમે જે રસ્તે પસાર થઈ મંઝીલે પહોંચો છો તે કોણે બનાવ્યો? કયારે બન્યો? કેટલા જણનો પરિશ્રમ એમાં શામેલ છે? વગેરે પ્રશ્નો મનમાં ઉદભવે છે?
એક વ્યક્તિ લક્ષ્ય હાંસલ કરે એમાં એના સિવાય કેટલાનો પ્રત્યક્ષ અને પરોક્ષ
ફાળો હોય છે.એક રોડ બને એમાં માર્ગનું આયોજન કરનાર શાસનતંત્ર,શ્રમિકો,કોન્ટ્રાકટર એ બધાનો ફાળો હોય છે.
એક વિદ્યાર્થી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરે છે ત્યારે કેટલા જણની મહેનત સફળ થાય છે? માતા-પિતા, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલ રીક્ષા કે બસનો ડ્રાયવર એમ ઘણાની મહેનત સફળ થાય છે.
ટૂંકમાં એક વ્યક્તિની સફળતા પાછળ અનેકોની મહેનત હોય છે.
બીજા મિસરામાં શાયરે ધીરજપૂર્વક સફર પૂરી કરવાની વાત કરી છે. પ્રવાસી મંઝીલ મેળવે તો જ રસ્તો બનાવનારાઓની મહેનત સફળ થાય છે. પ્રવાસી મંઝીલ ન મેળવે તો રસ્તો બનાવવાનો મતલબ શો?

જયહિંન્દમાં તા.૧૧।૭।૨૦૧૦ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો