બુધવાર, 19 ડિસેમ્બર, 2012

મુંઝારો

 આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
મરીઝ

ઘણી વાર વાત હોઠે આવીને અટકી જાય છે. મન મુંઝાઈ જાય છે. કહું? કે ના કહું? વ્યક્ત થાઉ કે ના થાઉં? મારી વાતનો, મુદ્દાનો, વિષયનો, પ્રણય પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો? વ્યક્તિ અસ્વીકૃતિથી ડરે છે. મરીઝે અસ્વીકૃતિના ડરને બીજી પંક્તિમાં બંધ દ્વાર શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હોય એવું લાગે છે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ'
ચુકવું બધાનં દેણ જો અલ્લાહ ઉધાર દે

જેના પર પ્રભુની મહેર થાય છે. તે કોઈનો કરજદાર નથી રહેતો. પ્રભુની મહેર ન હોય તો માનવી ગમે તેનો કરજદાર થઈ શકે છે.

તા.22।4।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો