ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

સાર્થક જીવન


સાર્થક જીવન
આજ નહીં તો કલ દે
પેડ વહી જો ફલ દે
અશ્વિનીકુમાર પાંડે

અશ્વિનીકુમાર પાંડેના દોહા, ગઝલો ઉચ્ચ કક્ષાના હોય છે. એમની રચનાઓમાં સામાજીક સંદેશ હોય છે. પ્રસ્તુત મત્લામાં કવિએ શાશ્વત સત્યની રજુઆત કરી છે.જે વૃક્ષ ફળ આપે તે ઉપયોગી છે.અહીં ફળ શબ્દના અર્થને વિસ્તૃત કરીને સમજીએ ત્યારે શેર વધારે અર્થપૂર્ણ જણાય છે. વૃક્ષ પર પાકે એ તો ફળ હોય જ છે પણ વૃક્ષનો છાંયડો પણ એક પ્રકારનું ફળ છે.

માનવીએ સમાજ,શહેર,રાષ્ટ્રને ઉપયોગી થાય તેવું જીવન જીવવું જોઈએ.વૃક્ષની જેમ સમાજને કંઈક આપીએ તો જીવન સાર્થક થયું ગણાય.નહીંતર એક જુના દોહા જેવું જીવન જીવ્યું ગણાય.

બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજુર
પથિક કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર

તા।૯।૧૨।૨૦૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો