સોમવાર, 17 ડિસેમ્બર, 2012

હાજરી

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે
મરીઝ

સંબંધો સતત હાજરી, કર્મઠતા, મેળ-મુલાકાતો જેવા વિવિધ કારણોસર સચવાય છે. માણસ ત્યાં જવું પસંદ કરે છે જ્યાં ઉષ્માભર્યો આવકાર મળે. આવકાર ન મળે ત્યાં જવું કોઈને પસંદ પડતું નથી. આ વાતનો ટેકો લઈ શાયરે પીઠામાં જવાની વાતને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સ્થળોએ કોઈ હોય છે જે આવકારે? જ્યારે પીઠામાં આવકારનારા તો ઘણા મળી જા
ય છે. પ્રાર્થના સ્થળો પ્રભુના ધામ હોય છે માટે સૌના હોય છે. સૌના હોય છે. તે સરવાળે કોઈના નથી હોતા.

પીઠામાં માણસ વિશિષ્ટ માનસિક અવસ્થાએ પહોંચી જાય છે. મન ખોલી દે છે. સુખ દુ:ખ વ્યથા કથા ગમો અણગમો લડાઈ ઝઘડા તમામ લાગણીઓની ખુલ્લા દિલે આપ લે કરે છે. પ્રાર્થના સ્થળે માણસ ફક્ત યાચક બનીને જાય છે.

તા.22।04।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો