રવિવાર, 16 ડિસેમ્બર, 2012

કાગળનો બગીચો

ઊલઝના હૈ હમેં બંજર જમીનોં સે હકીકત સે
ઉન્હેં ક્યા, વો તો બસ કાગઝ પે ફૂલવારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખેર 'અકેલા'

આ શેરમાં નેતાઓ તરફ સીધો સંકેત નથી. જો કે મને આ શેર નેતાઓના ચુંટણી વચનો વિષયક લાગે છે.

ચુંટણી વેળા નેતાઓ પાર વગરના વચનો આપે છે. નાણાકીય વાસ્તવિકતાને જાણ્યા સમજ્યા વગર વચનો ઝીંકે રાખે છે. વચનો આપવામાં શું જાય છે? તકલીફ તે અધિકારી વર્ગને પડે છે. જેણે વચનોને સાકાર કરવા માટે ઝઝૂમવું પડે છે. ખજાનો ખાલી છે આ હકીકત જાણતો હોવા છતાં અધિકારી વર્ગે નેતાઓના વચનો માટે લોહી પરસેવો એક કરવો પડે છે. ખાલી ખજાનો એટલે જાણે કે બિન ફળદ્રુપ જમીન. એ જમીન પર અધિકારી વર્ગે ખેતી કરવાની હોય છે.

તા.13।05।2012ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો